પ્રત્યાંકન વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન (transcription) કહે છે. અહીં પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પણ એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસીલ સાથે બેઇઝ જોડ બનાવે છે.

સ્વયંજનનમાં કોઈ સજીવનું કુલ $DNA$ બેવડાય છે. પરંતુ પ્રત્યાંકનમાં $DNA$નો ખંડ અને ફક્ત એક જ શુંખલા $RNA$માં પ્રતિઅંકન પામે છે.

$DNA$ની ફક્ત એક જ શૃંખલા $RNA$ સંશ્લેષણ માટે નીચેના કારણસર ટેબ્લેટ તરીકે વર્તે છે. જો બંને શૃંખલા $RNA$ માટેના સંશ્લેષણ માટે ટેબ્લેટ તરીકે કાર્ય કરે તો બે પૂરક $RNA$ અણુ એ બે વિભિન્ન પ્રોટીનનું નિર્માણ થાય. જે તેથી જનીનિક માહિતીની વહનની ક્રિયાવિધિ જટિલ બને.

બીજું એકસાથે બે $RNA$ ઉદ્ભવે જે એકબીજાના પૂરક છે, તેઓ જોડાઈને બેવડા કુંતલમય $RNA$નું નિર્માણ કરે. જે $RNA$ને પ્રોટીનનું ભાષાંતરણ નહિ કરવા દે અને પ્રત્યાંકનનો પ્રયાસ નિષ્ફળ થશે.

Similar Questions

નીચેનામાંથી કયું કાર્ય $RNA$ પોલિમરેઝનું નથી ?

જનીન સંકેતો ધરાવનાર $RNA :$

ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.

નીચે પૈકી કયો $RNA$ બીનકાર્યકારી છે ?

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?