પ્રત્યાંકન વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$DNA$ના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન (transcription) કહે છે. અહીં પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પણ એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસીલ સાથે બેઇઝ જોડ બનાવે છે.

સ્વયંજનનમાં કોઈ સજીવનું કુલ $DNA$ બેવડાય છે. પરંતુ પ્રત્યાંકનમાં $DNA$નો ખંડ અને ફક્ત એક જ શુંખલા $RNA$માં પ્રતિઅંકન પામે છે.

$DNA$ની ફક્ત એક જ શૃંખલા $RNA$ સંશ્લેષણ માટે નીચેના કારણસર ટેબ્લેટ તરીકે વર્તે છે. જો બંને શૃંખલા $RNA$ માટેના સંશ્લેષણ માટે ટેબ્લેટ તરીકે કાર્ય કરે તો બે પૂરક $RNA$ અણુ એ બે વિભિન્ન પ્રોટીનનું નિર્માણ થાય. જે તેથી જનીનિક માહિતીની વહનની ક્રિયાવિધિ જટિલ બને.

બીજું એકસાથે બે $RNA$ ઉદ્ભવે જે એકબીજાના પૂરક છે, તેઓ જોડાઈને બેવડા કુંતલમય $RNA$નું નિર્માણ કરે. જે $RNA$ને પ્રોટીનનું ભાષાંતરણ નહિ કરવા દે અને પ્રત્યાંકનનો પ્રયાસ નિષ્ફળ થશે.

Similar Questions

$RNA$ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?

$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$  $DNA$ $(P)$  સૌથી વધારે પ્રમાણમા
$(2)$  $m-RNA$ $(Q)$  પ્રતિસંકેત આધારે વિવિધ પ્રકાર
$(3)$  $t-RNA$ $(R)$  જનીન સંકેતરૂપે માહિતીનું વહન
$(4)$  $r-RNA$ $(S)$  તેનો ચોક્કસ ભાગ ટેંપ્લેટ તરીકે કાર્ય કરે

જો માનવ કોષનાં $RNA$ માં $81$ મિલિયન બેઝ હોય તો $cDNA$ માં હાજર કુલ ઇન્ટ્રોનની સંખ્યા જણાવો.

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?

સુકોષકેન્દ્રિ કોષમાં $hnRNA$ કઈ વિશિષ્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે ?